મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ: ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટરની સુચના


SHARE











મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ: ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટરની સુચના

મોરબી કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં આવેલ સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી અન્વયે બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં કલેક્ટર દ્વારા જીલ્લામાં આવેલ ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવેલ છે.

આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન, જળસંપતિ, પાણી પુરવઠા, નર્મદા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ, શહેરી વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ વગેરે હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રકચરલ સુવિધાઓ જેવી કે રોડ, ડેમ, બ્રિજ, કેનાલ, બિલ્ડીંગ, હોસ્ટેલ, પંચાયત ઘર, સરકારી આવાસો, સરકારી હોસ્પિટલ, પીએસસી, સીએચસી, શાળાઓ, આંગણવાડી સહિત અન્ય તમામ સરકારી ઇમારતોની સ્ટ્રકચરલ સેફટી માટે હાલના સરકારી ધારા ધોરણો મુજબ ઇન્સ્પેક્શન કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં પીવાના પાણીની તથા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પીએમ પોષણ યોજના, શ્રમિક અન્નપૂર્ણા, હોટ કુક્ડ મીલ તેમજ વિવિધ હોસ્ટેલ્સમાં નાગરિકોને આપવામાં આવતા ભોજનની યોગ્ય ગુણવત્તા જળવાય તે બાબતે પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં સરકારી બાંધકામ ક્ષતિગ્રસ્ત કે જર્જરિત હોય તો તેનો તાકિદે કરવા જણાવ્યું હતું, જેથી સંભવિત દુર્ઘટના ટાળી શકાય. આ બેઠકમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, આરએસસી એસ.જે. ખાચર, ડીઆરડીએના નિયામક એન.એસ. ગઢવી, મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News