મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા


SHARE











હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા

હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ શહેરના ભવાની નગર વિસ્તારમાં આવેલ બહુચર માતાજીનું મંદિર ત્રણ વર્ષ પહેલા નિર્માણ પામ્યું છે જેમાં હળવદ, ધાંગધ્રા, થાનના ૪૦ કિન્નરોની માતાજીની સેવા-પૂજા કરે છે સાથોસાથ જય બહુચર માં ગૌશાળા પણ ચલાવી રહ્યા છે ત્યાં ૩૫ જેટલી ગાયોની દેખભાળ રાખીને ગૌશાળા ચલાવી રહ્યા છ

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં ૩ વર્ષ પહેલા બહુચર માતાજીનું મંદિર નિર્માણ પામી છે જેમાં હળવદ ધાંગધ્રા થાનગઢના કિન્નરોઓ અહીં માતાજીની સેવા-પૂજા કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની સાથોસાથ જય બહુચર માં ગૌશાળા ચલાવી રહ્યા છે આ કિનરો દ્વારા હળવદ ધાંગધ્રા અને થાનગઢમાં તહેવારોમાં તેમજ લગ્ન પ્રસંગે પૈસા માગીને તે પોતાના ખિસ્સામાં રાખતા નથી કે પોતે મોજશોખ કરતા નથી તેઓ પૈસા આવે તે ૩૫ જેટલી ગાયોને ઘાસચારો ખવડાવીને દેખભાળ રાખીને ગૌશાળા ચલાવી રહ્યા છે

આ અંગે બહુચર માતાજીના સુરેખાદે મકસીસદે, અંકિતાદે સુરેખાદે, પૂજાદે સુરેખાદેને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે અમો છેલ્લા બે વર્ષથી ૪૫ કિન્નરોની રહીએ છીએ અને માતાજીની સેવા-પૂજા કરી છીએ અને ગૌશાળા પણ ચલાવે છે દર પૂનમે અહીં બાળકોને બટુક ભોજન તેમજ મહિલા મંડળ દ્વારા રામધુનનું પણ આયોજન કરવામાં આવે છે અને અમો તમામ કિન્નર સમાજ જય બહુચર માતાજી ગૌશાળા ચલાવી રહ્યા છીએ જો કોઈ દાતાઓને દાન ભેટ કરવું હોય તો મોબાઈલ નંબર ૬૩૫૧૭ ૦૨૨૮૮ અથવા ૬૩૫૩૦ ૪૮૯૬૪ માં સંપર્ક કરીને ગૌશાળા માટે સહયોગ આપી શકે છે તેવું જણાવ્યુ છે 






Latest News