મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાલે મોરબી એસપી કચેરીમાં લોક દરબાર યોજાશે


SHARE











ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાલે મોરબી એસપી કચેરીમાં લોક દરબાર યોજાશે

રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી કાલે કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કચ્છથી મોરબી આવશે અને ત્યાર બાદ મોરબીમાં એસપી કચેરી ખાતે લોક દરબારનો કાર્યક્રમ યોજાશે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તા. ૨૪ ને ગુરુવારે કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવશે આવી રહ્યા છે ત્યારે પહેલા કચ્છના ગાંધીધામ તાલુકાના શીણાય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદ્ઘાટન અને ખાતમુર્હતના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યાર બાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાશે ત્યાર પછી બપોરે ૧:૪૫ કલાકે હર્ષ સંઘવી ભચાઉના લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. કંપની ખાતે નાર્કોટિક જથ્થાના નાશ માટે જશે અને પછી સાંજે ૫: કલાકે તેઓ મોરબી આવી રહ્યા છે અને અને ત્યારે મોરબીની એસપી કચેરી ખાતે લોક દરબાર યોજાશે જેમાં ગૃહમંત્રી લોકોના પ્રશ્નો સાંભળશે. તેવુ જાણવા મળ્યું છે.






Latest News