મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન શિબિર ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે યોજાઈ હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જીગ્નેશભાઈ અને વિજયભાઈ પારેધીની પ્રેરણાથી તથા સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૩ ક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ.જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રક્તદાન શિબિરમાં સ્વ. જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય, સામાજિક મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પમાં ૬૩ રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ.જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ કાર્યક્રમ  બદલ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ  માકાસણાએ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News