મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા


SHARE













તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા

સમગ્ર રાજ્યની અંદર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કેર પોર્ટલ નો ઉપયોગ કરીને લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનની અરજી લેવામાં આવે અને ત્યારબાદ તેનું સતત મોનિટરિંગ કરીને ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન પોલીસ દ્વારા શોધી આપવામાં આવતા હોય છે દરમિયાન વાંકાનેર સિટી અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં જે અરજદારોના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હોય કે ચોરાઇ ગયા હોય તેવા અરજદારો દ્વારા અરજીઓ આપવામાં આવી હતી તેના આધારે હિતેન્દ્રસિંહ ઝાલા અને હંસાબેન પાપોદરા દ્વારા કેર પોર્ટલ ઉપર સતત મોનિટરિંગ રાખીને જુદા જુદા વ્યક્તિના કુલ મળીને 11 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 1,92,292 ની કિંમતના મોબાઈલ ફોન અરજદારોને પોલીસ મથકે બોલાવીને વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજા અને તાલુકાના પીઆઈ બી.વી. પટેલ ના હસ્તે પરત આપવામાં આવ્યા હતા






Latest News