મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય


SHARE











મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય

મોરબી મહાપાલિકાના સભાખંડમાં આજે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે ધારાસભ્યો હાજર રહ્યા હતા અને શહેરમાં લાઈટ, પાણી, રોડ-રસ્તાને લગતા જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટે થઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. અને આગામી સમયમાં રોડ રસ્તા સહિતના જે વિકાસ કામો હાથ ધરવામાં આવનાર છે તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ નંદકુવરબા રેન બસેરા ખાતે આજે કમિશનર સ્વપ્નિલ કરીની અધ્યક્ષતામાં આજે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા હાજર રહ્યા હતા અને ખાસ કરીને છેલ્લા દિવસોમાં મોરબીમાં ચોમાસાના કારણે લાઇટ, પાણી, રોડ રસ્તા, સફાઈ, ગટર સહિતના જે પ્રશ્નો ઊભા થયા હતા તેના નિકાલ માટે કરવામાં આવેલ કામગીરીની

સમિક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આગામી દિવસોમાં જે પ્રાથમિક સુવિધાને લગતા કામોને પ્રાધાન્ય આપવામાં આવે તેના માટે ધારાસભ્ય દ્વારા અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી

આ બેઠક પછી કમિશનર સ્વપ્નિલ ખરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના જુદાજુદા ત્રણ બગીચાની કાયાપલટ કરવા માટે તથા પાનેલીના તળાવમાંથી મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે તે માટેની જે વ્યવસ્થાઓ કરવાની છે તેની ચર્ચા અને જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાના બનાવવા માટેના જે કામો હાથ ધરવાના છે તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, લોકોના પ્રાથમિક સુવિધાને લગતા જે પ્રશ્નો છે તેનો ઝડપથી ઉકેલ આવે તેના માટેનું કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ ગટરના પ્રશ્નો ઉકેલવા માટે બે જેટિંગ મશીન રાજકોટ મહાપાલિકા પાસેથી મોરબીને હાલમાં આપવામાં આવ્યા છે અને આગમી માહિનામાં વરસાદ ન હોય તો રોડના કામ શરૂ કરવા માટેનું પણ આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું અને અંતમાં કહ્યું હતું કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે જે ફલાયઓવર બ્રિજ બની રહ્યો હતો તેની હાલમાં ડિઝાઇન ચેન્જ કરવામાં આવી છે તેનાથી લોકોને ઘણો ફાયદો થશે.






Latest News