મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ


SHARE













મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ

મોરબીના જોધપર (નદી) ગામ પાસે મચ્છુ નદી પર બ્રિજ બનાવવામાં આવેલ છે અને ત્યાંથી ભારે વાહનો સહિતના ટ્રાફિકની સતત અવરજવર રહે છે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રિજની સલામતી બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતની ટીમે નિરીક્ષણ કર્યુ હતું

ગુજરાત રાજ્યમાં પુલ, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબીથી લીલાપર ચોકડી અને રફાળેશ્વર થઈ નેશનલ હાઇવેને જોડતા રસ્તા પર જોધપર (નદી) ગામ પાસે મચ્છુ-૨ ડેમ નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂપે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકી સહિતના ઈજનેરોની ટીમે નિરીક્ષણ કર્યું હતું. ઉલેખનીય છે કે, આ બ્રિજ વર્ષ ૨૦૧૪ માં બનાવવામાં આવેલ છે અને મોરબીના સિરામીક, પેપર મીલ સહિતના ઉદ્યોગો માટે તેમજ ગામના લોકો માટે મહત્વનો બ્રિજ છે. અને આ બ્રિજ ઉપર ભારે વાહનો સહિતનો ટ્રાફિક પણ સતત રહે છે. જેથી વાહન વ્યવહારની સુરક્ષાને ધ્યાને રાખીને માર્ગ મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર સહિતની ટીમે બ્રિજની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.






Latest News