વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE











મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત

જોડિયાના જામદુધઈ ગામે રહેતો યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને જોઈને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને યુવાનનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જામનગરના જોડિયા તાલુકામાં આવેલા જામ દુધઈ ગામે રહેતા અશ્વિનભાઈ સુરેશચંદ્ર ભોજાણી નામના ૪૩ વર્ષના યુવાનને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તબીબે જોઈ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા અને કોઈ કારણોસર તેમનું મોત થયેલ હોય તપાસ કરવામાં આવ્યા બાદ હાર્ટ એટેકના લીધે અશ્વિનભાઈ ભોજાણીનું મોત નિપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે જોડિયા પોલીસને જાણ કરી હતી.

વૃદ્ધ સારવારમાં
માળિયા મિંયાણાના ચાંચાવદરડા ગામે રહેતા ઈશ્વરભાઈ શામજીભાઈ બાવરવા નામના ૯૨ વર્ષના વૃદ્ધ મોરબીના ઉમિયાનગર પાસે બાઈક પાછળ બેસીને જતા હતા તે સમયે બાઇક સ્લીપ થતા પડી જવાથી ઇજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મૂળ ઓડિશા હાલ મોરબી રહેતા શ્રીધર નેત્રાનંદ બારીક નામના ૫૯ વર્ષના આધેડને મોરબીના શનાળા ગામે સીએનજી પંપ પાસે બાઇક સ્લીપના બનાવમાં ઇજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ત્રાજપર ચોકડી મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા જય પ્રકાશભાઈ બનસોડે નામના ૨૫ વર્ષના યુવાનને પાંજરાપોળ પાસે નાયરા પંપ નજીક બાઇકની આડે ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ઈજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
મોરબીના શનાડા રોડ સ્કાય મોલ પાછળ રામજી મંદિર પાસે બાઈકમાંથી પડી જતા અસ્મિતાબેન હરેશભાઈ ડાભી નામના ૨૬ વર્ષીય મહિલાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા પરિવારના ઉત્તમ બાબુભાઈ વરાણીયા નામના નવ વર્ષના બાળકને બાઈક પાછળ બેસીને જતા સમયે નિચે પડી જવાથી ઇજા પામેલ હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News