હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત


SHARE

















વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ભેંસોને પાણી પીવડાવવા ગયેલ બાળકીનું નદીમાં ડૂબી જવાના કારણે મોત

વાંકાનેર તાલુકાના વસુધરા ગામે રહેતા પરિવારની 11 વર્ષની દીકરી ભેંસોને પાણી પીવડાવવા માટે થઈને ગામના પાદરમાં આવેલ નદીએ ગઈ હતી દરમિયાન પગ લપસતા નદીના પાણીમાં તે બાળકી પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા જગદીશભાઈ હાડગરડા ની 11 વર્ષની દીકરી માનસીબેન હાડગરડા ગામની નજીક આવેલ બેનેયો નદીના કાંઠે ભેંસોને પાણી પીવડાવવા માટે થઈને લઈને ગઈ હતી દરમિયાન કોઈ કારણોસર તે બાળકીનો પગ લપસવાના કારણે તે નદીમાં પાણીમાં પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક બાળકીના પરિવારજન ભરતભાઈ નાથાભાઈ હાડગરડા (37) રહે વસુધરા ગામ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News