મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

ऐक पेड माँ के नाम 2.0: મોરબીમાં કાલે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે


SHARE









ऐक पेड माँ के नाम 2.0: મોરબીમાં કાલે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં કાલે તા 13 ના રોજ શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ મોરબી, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સદભાવના ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ऐक पेड माँ के नाम 2.0” અભિયાન અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભાજપ પરિવારના આગેવાનો હોદેદારો સહિતના હાજર રહેશે અને પર્યાવરણના જતન માટેના આ કર્યામાં સહભાગી બનશે તેવી માહિતી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાસેથી જાણવા મળેલ છે. 

આ અભિયાન અંતર્ગત રફાળેશ્વર-જોધપર (નદી) રોડ, ભાણદેવજી આશ્રમની બાજુમાં, પટેલ છાત્રાલયની પાછળ, મોરબી ખાતે કાલે તા 13 ના રોજ સાંજે 4:00 કલાકે આયોજીત કાર્યક્રમમાં નાગરિકો માતાના નામે એક વૃક્ષ રોપશે. જનમાનસમાં પર્યાવરણ જાગૃતિ લાવવા તથા વૃક્ષ આવરણ વધારવાના હેતુ સાથે અંદાજિત 3 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે. જેમાં ગામના અને આસપાસના વિસ્તારના અતિથિઓ, નાગરિકો, ધાર્મિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, વિવિધ NGO તથા વિદ્યાર્થીઓની સહભાગીતા સાથે સદભાવના પૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવશે. કાર્યક્રમમાં અનેક સમાજસેવકો, પદાધિકારીઓ અને આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં સર્વ નાગરિકોને સમયસર હાજર રહી પર્યાવરણસ્નેહી કાર્યમાં સહભાગી બનવા સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે






Latest News