મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં સંતુલિત આહારશૈલીનું સવિશેષ મહત્વ


SHARE











મોરબી: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં સંતુલિત આહારશૈલીનું સવિશેષ મહત્વ

ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરીને રાજ્યના નાગરિકોને સ્વસ્થ અને ફિટ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મેદસ્વિતા (ઓબેસિટી) પ્રત્યે જાગૃતિ લાવવી અને લોકોને સંતુલિત આહારશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. સંતુલિત આહાર માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને એકંદરે જીવનશૈલીને પણ સુધારે છે.

સંતુલિત આહારશૈલી એટલે શરીરને જરૂરી પોષક તત્વોનું સંતુલન. દરરોજના ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરવો જરૂરી છે. લોકોને ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સંતુલિત આહાર શરીરનું વજન નિયંત્રણમાં રાખવા સાથે ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય જીવનશૈલી સંબંધિત રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સંતુલિત આહારશૈલી અપનાવવી એટલે માત્ર શરીરને સ્વસ્થ રાખવું નહીં, પરંતુ જીવનમાં ઉત્સાહ અને ઉર્જા ભરવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન રાજ્યના દરેક નાગરિક સુધી પહોંચવાનું લક્ષ્ય છે. નિયમિત કસરત, પૌષ્ટિક આહાર અને જાગૃતિ દ્વારા આપણે ગુજરાતને મેદસ્વિતા મુક્ત અને સ્વસ્થ બનાવી શકીએ છીએ. ચાલો, આજે જ સંકલ્પ લઈએ અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ

'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન એ ગુજરાતના નાગરિકોને સ્વસ્થ અને સુખી જીવન આપવાનો એક પ્રયાસ છે. સંતુલિત આહારશૈલી અપનાવીને આપણે ન માત્ર મેદસ્વિતાને હરાવી શકીએ, પરંતુ એક ઉર્જાવાન અને સક્રિય જીવનશૈલી પણ જીવી શકીએ. આજે જ આ દિશામાં પગલું ભરો અને ગુજરાતના સ્વસ્થ ભવિષ્યનો હિસ્સો બનો!.






Latest News