મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

લ્યો બોલો મોરબી જીલ્લાના ટીકર પાસે પુલ ચાલુ રાખવા માટે તંત્ર મરાવે છે થીગડા !: વડોદરા જેવી ઘટના બને તો જવાબદાર કોણ ?


SHARE







લ્યો બોલો મોરબી જીલ્લાના ટીકર પાસે પુલ ચાલુ રાખવા માટે તંત્ર મરાવે છે થીગડા !: વડોદરા જેવી ઘટના બને તો જવાબદાર કોણ ?

ગુજરાતમાં પુલ તૂટવાની ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં હળવદ તાલુકાના ટીકર ગામ પાસે જર્જરિત પુલમાં એક બે નહિ પરંતુ છેલ્લા વર્ષોમાં પાંચ જેટલા થીગડા મારવામાં આવ્યા છે તેમ છતાં પણ આજની તારીખે તે પુલ નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યું છે અને ત્યાંથી સ્કૂલ બસ સહિતના વાહનો પસાર થતા હોય છે ત્યારે જો કોઈ જીવલેણ અકસ્માત બને તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે

વડોદરા અને આણંદને જોડતા રસ્તા ઉપર બનાવવામાં આવેલ ગંભીરા પુલ બુધવારે તૂટી પડ્યો હતો અને તેના કારણે પુલ ઉપરથી પસાર થતા વાહનો ધડાકાભેર નદીમાં પડ્યા હતા અને આ ગંભીર અકસ્માતમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે અને આવી જ ઘટનાઓ અન્ય જગ્યાએ પણ બને તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ તાલુકાના ટીકર ગામ પાસે વર્ષ 2003-04 ની વચ્ચે બ્રાહ્મણી નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે અને આ પુલ જર્જરિત થઈ ગયો છે છેલ્લા વર્ષોમાં એક બે નહીં પરંતુ પાંચ જેટલા થીગડા જુદી જુદી જગ્યા ઉપર આ પુલ ઉપર મારવામાં આવ્યા છે તેવી માહિતી ગામના માજી સરપંચ વિજયભાઈ પટેલ પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં ગામના રહેવાસી સદામભાઇ વલ્લીભાઇ અને જીગ્નેશભાઇ પરમારે માહિતી આપતા કહ્યું હતું કે, પુલની બંને બાજુએ ભારે વાહનોની પ્રવેશબંધીના બોર્ડ મુકવામાં આવ્યા છે પરંતુ તેની અમલવારી કરવા માટે થઈને નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેથી કરીને આ પુલ ઉપરથી આજની તારીખે પણ કાર, સ્કૂટર, રીક્ષા વગેરે જેવા વાહનો ઉપરાંત સ્કૂલ બસ એમ્બ્યુલન્સ અને રાત્રીના સમયગાળા દરમિયાન ભારે વાહનો પણ પસાર થતા હોય છે ત્યારે ગામમાં અવરજવર માટેનો આ મુખ્ય જે પુલ છે તે વડોદરાના પુલની જેમ જો તૂટી પડે તો તેના માટે જવાબદાર કોણ અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાય તો તેના માટે જવાબદાર કોણ આવા અનેક સવાલો મોરબી જિલ્લાના તંત્ર સામે ગામના લોકોએ કર્યા છે.

જોકે ગામમાં રહેતા હેમુભાઇ જોગીયાણીએ કહ્યું હતું કે, ટીકર ગામથી 15 ગામને જોડતો આ મુખ્ય રસ્તા ઉપરનો પુલ છે આ સિવાયનો જે બીજો પુલ નદીમાં બેઠા પુલ તરીકે ઓળખાય છે ત્યાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી આવી જાય ત્યારે ગામના લોકોને ગામની અંદર અવરજવર કરવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આ બાબતની સ્થાનિક અધિકારીઓને તંત્રને જાણ હોવા છતાં પણ આ જર્જરીત અને જોખમી પુલને યોગ્ય કરવા માટે અથવા તો પાડીને નવો બનાવવા માટેની નકકર કામગીરી આજ દિવસ સુધી કરવામાં આવી નથી ત્યારે આ જોખમી પુલ જીવલેણ સાબિત થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.






Latest News