મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન સેલ (MIC), AICTE તથા શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ & કમ્પ્યુટર સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન પ્રસાદભાઈ ગોરીયા, કોલેજના ડાયરેક્ટર ડો. રમેશ કૈલા, અમદાવાદ ઇનોવેશન કાઉન્સિલિંગ આઈપી કોમર્શિયલ ટ્રાન્સફર મેનેજર શ્યામ સુંદર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈક્યુબ સેન્ટરના સીઈઓ પાર્થ સેજપાલ, અમદાવાદ ઇનોવેશન કાઉન્સિલિંગ સેલના કોર્ડીનેટર મિતેશ વાઢેર અને મારવાડી યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં ઇનોવેશન ઇન્સ્ટિટયૂટ કાઉન્સિલિંગ દ્વારા પેટર્ન ડિઝાઇન કઈ રીતે રજીસ્ટર કરવું અને વિદ્યાર્થીઓને કઈ રીતે માહિતગાર કરવા સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે તેનું સચોટ માર્ગદર્શન મિતેશભાઇ વાઢેરે આપ્યું હતું.

ત્યારબાદ મારવાડી યુનિવર્સિટીના આઇઆઇસી વાઈસ પ્રેસિડેન્ટ દ્વારા કોલેજે કઈ કઈ ઇવેન્ટ કરવી તેનું એન્ટરપ્રિન્ટ માટેનું માર્ગદર્શન એક્સપર્ટો ટોક વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યોરશિપ માટેના પ્રોગ્રામો અને તેનું રિપોર્ટિંગ વિશેની સુંદર માહિતી આપેલ હતી તો શ્યામસુંદરભાઈએ સમગ્ર ભારતમાં ઇનોવેશન સેલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે વિદ્યાર્થીની પેટર્ન અને ફેકલ્ટીની પેટન કઈ રીતે કોમર્શિયલાઈઝ કરવામાં આવે સ્ટાર્ટઅપ માટેના સ્ટેપ તેમજ વિદ્યાર્થીઓ સુધી સચોટ માહિતી કઈ રીતે આપી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું

કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇક્યુબ સેન્ટરના સીઇઓ પાર્થભાઈ સેજપાલ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા પ્રોગ્રામ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એફડીપી તેમજ દરેક કોલેજને આઇઆઇસીનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું તેની સમગ્ર માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. હિરેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News