મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ


SHARE











મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ

મોરબીની પાંજરાપોળમાં 5,700 જેટલા અબોલ જીવનો નિભાવ આજની તારીખે કરવામાં આવે છે જો કે, ચોમાસા દરમ્યાન કોઈ અવ્યવસ્થા ન થાય તેના માટે આગામી બે મહિના સુધી કોઈ પશુ પાંજરાપોળમાં ન લેવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે જે અંગે જાણ સંસ્થાના ટ્રસ્ટી અને મોરબીના ધારાસભ્યએ વિડીયો મૂકીને લોકોને કરેલ છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકીને જણાવ્યું છે કે આજની તારીખે મોરબી પાંજરાપોળમાં 5,700 જેટલા અબોલ જીવનો નિભાવ થઈ રહ્યો છે. અને ચોમસાની સિઝનમાં ગૌવંશો માટે બે મહિનો ચાલે તેટલો ચારો હાલમાં છે પરંતુ વધુ વરસાદ પડે તો સમસ્યા સર્જાય તેવી શ્ક્યતા છે અને હાલમાં ટ્રસ્ટ પાસે પૂરતું ભંડોળ પણ છે પરંતુ વ્યવસ્થાના ભાગ રૂપે આગામી બે મહિના સુધી પશુ ન લેવા તેવો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે અને વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય તેવા પશુઓને ગૌ સેવકો લઈને આવશે તો તેના માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે.






Latest News