મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો


SHARE







મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો

ગુજરાત સરકાર અને GVK EMRI દ્રારા ચાલતી ૧૦ ગ્રામ દીઠ એક પશુયોજના મોરબી જિલ્લાના પાનેલી ગામે એક ગાયને પ્રસુતીની પીડા હતી ત્યારે તેના માલિક કાળુભાઇ કલોત્રા દ્રારા ૧૯૬૨ માં કોલ કરીને લાલપર એમવીડીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેથી ૧૯૬૨ નો સ્ટાફે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ટીમ દ્રારા ગાયની પ્રસુતી કરવા મેહનત કરવામાં આવી હતી પરંતુ ગાયના ગર્ભમાં રહેલ વાછડી મુર્ત્યું પામી હતી અને તે સંજોગમાં ગાયનું  સિજરીયન  કરવું જરૂરી જણાયું હતું અને અંતે લગભગ ૪ કલાક ઓપેરશન કરીને ભારે જેહમત બાદ ગાયનો જીવ બચાવમાં આવ્યો હતો.૧૦ ગ્રામ દીઠ એક પશુ યોજનામાં કામ કરતા ડો.તાલિબ હુસેન, ડો.વિપુલ કાનાણી અને પાયલોટ રજનીશ સોલંકી, પાયલોટ જયદીપ જલુ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 






Latest News