મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત


SHARE







વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત

વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉંમર વર્ષ 54, રહે. જીનપરા શેરી નંબર 10, વાંકાનેર) ગત રાત્રે 12:30 વાગ્યે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હત્તમ અહીં ઇમરજન્સી વોર્ડમાં ડો. કૃપાલી કોટડીયાએ તેમને જોઈ તપાસી સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, વિનોદભાઈને સંતાનમાં 3 દીકરી છે. તે દરજીકામ કરતા. પોતે 3 ભાઈ અને 3 બહેનમાં નાના હતા. ઘણા સમયથી તેઓને ડાયાબિટીસ અને ટીબીની બીમારી હતી.






Latest News