મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં થયેલ બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી વાહનની ચોરી કરવામાં આવી હોવાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જેથી વાહન ચોરને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં એક આરોપી પહેલા પકડાયો હતો અને હાલમાં બીજા આરોપીને પકડવામાં આવેલ છે. 

મોરબી જિલ્લા એલસીબીની ટીમે અગાઉ નંબર પ્લેટ વગરના એક્ટીવા સાથે નીકળેલા શખ્સને રોકીને જરૂરી કાગળો તથા આધાર પુરાવા માંગતા તેની પાસે કશું જ હતું નથી જેથી એક્ટિવા ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેની વિષેશ પુછપરછ કરતા તેની પાસેથી બીજા ત્રણ ચોરાઉ બાઇક કાઢી આપ્યા હતા જેથી આરોપી અલાઉદીન શમસેર શુભાનભાઇ સધવાણી રહે.લાતી પ્લોટ જોન્સનગર શેરી નંબર-૧૦ મોરબી વાળાને ત્યારે પકડવામાં આવ્યો હતો અને આ વાહનોની ચોરી તેણે પોતાના મિત્ર હનીફભાઇ કાસમભાઇ સધવાણી સાથે મળીને કરી હોવાની કબૂલાત આપેલ હતી.જેથી કરીને વાહન ચોરીના ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ.કરકર અને તેમની ટીમે આરોપી હનીફભાઇ કાસમભાઇ સધવાણી (૩૫) રહે.માલાણી શેરી માળીયા (મિં.) ની ધરપકડ કરેલ છે. અને જુદીજુદી બે બાઇક ચોરીના ગુનામાં તે સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

ઈજાગ્રસ્ત સારવારમાં

મોરબીના સોખડા ગામના પાટીયા પાસે બાઈક લઈને જતા સમયે ટ્રક સાથે અથડામણ થતા શેહઝાદ સલીમભાઈ જેડા (ઉમર ૧૧) તથા યાસ્મીનબેન સલીમભાઈ જેડા (૩૫) રહે.બંને માળિયા મિંયાણાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મૂળ રાજસ્થાન હાલ જાંબુડીયા તા.મોરબીના રહેવાસી સદામહુસેન અબ્દુલસતાર અંસારી નામના ૩૨ વર્ષના યુવાનને જાંબુડીયા નજીક કેરા સીરામીક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.તેમજ મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા છગનભાઈ ધરમશીભાઈ રંગપડીયાને બાઈક લઈને ઘરેથી જતા હતા ત્યારે વાડી બાજુ જતા રસ્તે પડી જતા પગે ફેક્ચર જેવી ઇજા સાથે અત્રે શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
 
ગાયનું મોત
મોરબીના રંગપર ગામે વાણંદ સમાજના ચામુંડા માતાના મંદિર પાસે ઇલેક્ટ્રીક થાંભલાને અડી જતા શોર્ટ લાગવાથી મનસુખભાઈ છગનભાઈ ભરવાડ (૨૮) રહે.રંગપરની ગાયનું મોત થયુ હતુ જે બાબતે મનસુખભાઇએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.





Latest News