મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઈકને હડફેટે લઈને એક યુવાનને કચડી નાખનારા ટ્રક ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીક ડબલ સવારી બાઈકને હડફેટે લઈને એક યુવાનને કચડી નાખનારા ટ્રક ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામથી હરીપર કેરાળા ગામના પાટીયા તરફ જવાના રસ્તા ઉપર ડબલ સવારી બાઈકને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને બીજા યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ હોલિસ સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિરેન્દ્ર હીરાલાલ સેન (20) નામના યુવાને ટ્રક ટ્રેલર નં. જીજે 12 એઝેડ 0163 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે અને બેટુભાઈ સુરેશભાઈ પારઘી (22) બંને ભરતનગર ગામે દવાખાને દવા લેવા માટે થઈને બાઈક નંબર જીજે 36 કયું 4973 લઈને આવ્યા હતા અને ત્યાંથી દવા લઈને તેઓ પાછા કારખાને જતા હતા દરમિયાન પાછળથી તેઓના ડબલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ફરિયાદીને હાથે, પગે અને માથાના ભાગે ઇજા થઈ હતી જ્યારે બેટુભાઈ સુરેશભાઈ પારઘીને છાતી, મોઢા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ દરિયાલાલ સ્ક્વેરમાં બીજા માળે શોપ નંબર 107-108 માં વેલનેસ સ્પા આવેલ છે અને ત્યાંના સંચાલક દ્વારા સ્પામાં કામ કરતા કર્મચારીઓની બાયોડેટાના ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં માહિતી આપો ન હતી. જેથી હાલમાં સ્પાના સંચાલક જીતેન્દ્ર ઉર્ફે કાનો પ્રવીણભાઈ રાણપરા (39) રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તેને પકડીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News