મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE











વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

વાંકાનેર સીટીમાં વર્ષ 2022 માં એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયેલ હતો અને આ કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થો મળી આવેલ હતો જે કેસમાં આરોપી મનોજ ડાકટરભાઈ જૈનાના જામીન માટેની અરજી હાઇકોર્ટમા મૂકી હતી જેને મંજૂર કરવામાં આવતા આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ ટૂંકી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થા સાથે આરોપી મનોજ ડાકટરભાઈ જૈના રહે. હાલે કતારગામ, ઉતકલ નગર, અંબાજી મહોલ્લા, અંબાજી મંદિર સામે,સાઈ રામ મોબાઈલની દુકાનની સામેની ગલીમાં રૂમ નં. ૩, નરીત્રીનાથ પરીડાની રૂમમાં, જુની જી.આઈ.ડી.સી. કતાર ગામ સુરત મુળ રહે, ઓરીસા વાળાને પોલીસે પકડ્યો હતો અને વાંકાનેર સીટી પોલસી સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન માટેની અરજી દાખલ કરેલ હતી. જેમાં હાઈકોર્ટે શરતોને આધીન ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કર્યા છે. જેથી આ કેમાં આરોપીના વકીલ તરીકે એસ.ડી. મોધરીયા, વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા વકીલ શ્રી કુ.મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News