મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો

હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદ પક્ષની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદીની સગીરવયની ભોગ બનનાર દીકરીને આરોપી આસીફ અનવર ભટ્ટી બદકામ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું અને આરોપી સમીર અબ્બાસ મોવરના ઘરે ભોગ બનનારને ત્રણ દિવસ રાખી હતી જેથી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલાનો આક્ષેપ ફરીયાદહળવદ પોલીસ સ્ટેશનમાં કર્યો હતો જેથી પોકસો, અપહરણ તથા એટ્રોસીટીનો ગુન્હો દાખલ થયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી તરફે વકીસ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમારની ધારદાર દલીલો તથા જુદીજુદી કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને રાખીને આરોપીને છોડી મુકવાનો સ્પેશીયલ જજ કે.આર.પંડયા સાહેબે હુકમ કરેલ છે.






Latest News