મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો

હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદ પક્ષની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદીની સગીરવયની ભોગ બનનાર દીકરીને આરોપી આસીફ અનવર ભટ્ટી બદકામ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું અને આરોપી સમીર અબ્બાસ મોવરના ઘરે ભોગ બનનારને ત્રણ દિવસ રાખી હતી જેથી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલાનો આક્ષેપ ફરીયાદહળવદ પોલીસ સ્ટેશનમાં કર્યો હતો જેથી પોકસો, અપહરણ તથા એટ્રોસીટીનો ગુન્હો દાખલ થયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી તરફે વકીસ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમારની ધારદાર દલીલો તથા જુદીજુદી કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને રાખીને આરોપીને છોડી મુકવાનો સ્પેશીયલ જજ કે.આર.પંડયા સાહેબે હુકમ કરેલ છે.






Latest News