મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો


SHARE











વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.. અને પૂર્વ બી.આર.સી.કૉ..નો વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર બી.આર.સી.ભવન ખાતે ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા વયનિવૃત્ત થયેલ પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.જે.જી.વોરા અને જિલ્લાફેર બદલી થયેલ પૂર્વ બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ  પરમારનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાંકાનેર તાલુકાના ટી.ડી.ઓ. બિપિનભાઈ સોલંકી, મુખ્ય અતિથિ ટી.પી.ઈ.ઓ. કિશોરભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ અને સમગ્ર વાંકાનેર તાલુકાના શિક્ષક ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા ડૉ. જે.જી.વોરા અને મયૂરરાજસિંહ પરમારને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી, સન્માનપત્ર અને ભેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ.ઑ. કૌશિકભાઈ સોનીએ કર્યું હતું. ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.






Latest News