વાંકાનેરમાં પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત દીકરીઓને સેનેટરી પેડ વિતરણ સાથે મહત્વપૂર્ણ સમાજ અપાઈ
મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 79.34 ટકા મતદાન: સૌથી વધુ વાંકાનેર તાલુકામાં 89.19 ટકા મતદાન
SHARE








મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 79.34 ટકા મતદાન: સૌથી વધુ વાંકાનેર તાલુકામાં 89.19 ટકા મતદાન
મોરબી જિલ્લાની પાંચેય જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું અને 40 ગ્રામ પંચાયતો સરપંચ અને સભ્યોને ચુંટવા માટે મતદાન કરવામાં આવ્યું છે ત્યારે સવારથી લઈને સાંજ સુધીમાં સરેરાશ જિલ્લામાં 79.34 ટકા જેટલું મતદાન થયું છે અને મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈપણ જગ્યાએ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે પુરતો બંદોબસ્ત રાખ્યો હતો. જેથી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને હવે ગ્રામજનોની નજર મત ગણતરી ઉપર મંડાયેલ છે
મોરબી જિલ્લા સહિચ સમગ્ર ગુજરાતની અંદર 8000 જેટલી ગ્રામ પંચાયતો માટે આજે સવારના સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં કુલ મળીને પાંચ તાલુકા આવેલા ત્યારે તે પાંચ તાલુકામાં 27 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તથા 13 ગ્રામ પંચાયતોમાં સરપંચ, સભ્ય અથવા તો સરપંચ અને સભ્ય માટે થઈને ચૂંટણી યોજાઈ હતી આમ કુલ મળીને 40 ગ્રામ પંચાયત માટે સવારથી સાંજ સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ હતી અને સાંજ સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને સરેરાશ 79.34 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે અને વધુમાં અધિકારી સૂત્રો પાસેથી મળતી વિવિધ પ્રમાણે મોરબી તાલુકામાં 75.26, હળવદ તાલુકામાં 87.42, વાંકાનેર તાલુકામાં 89.19, માળિયા તાલુકામાં 77.10, અને ટંકારા તાલુકામાં 71.61 ટકા જેટલું મતદાન થયું છે અને સમગ્ર જિલ્લાની અંદર એકાદ બનાવને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલની વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અત્રે ઉલ્લેખીએ છે કે મોરબી તાલુકાના ડાયમંડનગર ખાતે આવેલ શાળામાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવાર ત્યાં બુથ ઉપર બેઠેલ હોય તેને પોલીસ કર્મચારી દ્વારા બહાર જવા માટે થઈને કહેવામાં આવ્યું હતું ત્યારે પોલીસ અને ઉમેદવાર વચ્ચે રકજક થઇ હતી જેથી થોડીવાર માટે મામલો તંગ બન્યો હતો. પરંતુ પોલીસ અધિકારીઓએ સ્થળ ઉપર આવીને મામલો થાળે પાડ્યો હતો અને મતદાનની પ્રક્રિયા અવિરત પણે ચાલુ રાખવામાં આવી હતી

