મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ-ભારતી વિદ્યયાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજ-ભારતી વિદ્યયાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉલેખનીય છે કે, છેલ્લા ૭ વર્ષોથી અવિરતપણે કોલેજના સ્ટાફ અને વિધાર્થીઓ નિયમિત રીતે શિક્ષણ કાર્યની શરૂઆત યોગ સાથે જ કરી રહ્યા છે. જો કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી ત્યારે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈમ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સ્ટાફગણ અને એચડીએફસી બેંકના મેનેજર નૈમિષ ભટ્ટ તથા બેંક સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા અને મુખ્ય મેહમાન તરીકે દેના બેન્કના નિવૃત અધિકારી હર્ષદભાઈ મણીયાર અને સરકારી શાળાના આચાર્ય રાજુભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને યોગ વિષે માર્ગદર્શન આપ્યું હતું. અને અંતમાં કોલેજ દ્વારા આયોજિત યોગ કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તો મોરબીની ભારતી વિધાલય શાળામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓએ તેમાં જોડાયા હતા અને વિધાર્થીઓએ રોજે ઘરે પ્રાણાયામ અને સાનુકૂળ હોય તેવા યોગ આસન કરવાનો સંકલ્પ કર્યો હતો. અને યોગ દિવસને ધ્યાને લઈને એક ક્વિઝ કોમ્પિટિશન રાખવામા આવી હતી જેમાં પ્રથમ ક્રમે (જાદવ મિતુષા, બીજા ક્રમે ઉપસરિયા જીત અને અને તૃતીય ક્રમે વાઘેલા ક્રિષ્નાબા વિજેતા બનેલ હતા જેને શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. અને અંતમાં શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ જીવનમાં યોગનું મહત્વ સમજવ્યું હતું.






Latest News