સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના એસએસવાય પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે અને જેલર-બંદીવાનોએ જેલમાં કર્યો યોગાભ્યાસ


SHARE











મોરબીના એસએસવાય પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે અને જેલર-બંદીવાનોએ જેલમાં કર્યો યોગાભ્યાસ

સમગ્ર વિશ્વમાં 21, જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી એસ.એસ.વાય પરિવાર દ્વારા સ્વમીનારાયણ મંદિર જીઆઈડીસી, મોરબી ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિન નિમિત્તે આયુષ મંત્રાલયના પ્રોટોકોલ મુજબના યોગાસનો તેમજ એસએસવાયના પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિનની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે યોગદિનની ઉજવણીમાં શાસ્ત્રી સ્વામી તેમજ નવનીતભાઈ કુંડારિયા, અંબારામભાઈ કવાડિયા, સંસ્કાર બ્લડ બેંકના રમેશભાઈ માકાસણા તેમજ ખુબજ મોટી સંખ્યામાં સાધકો અને હરિભક્તો જોડાયા હતા. આવી જ રીતે મોરબીની સબ જેલમાં ૧૧ મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલોના ડી.જી.પી. ડૉ. કે.એલ.એન.રાવ ના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે "ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી" દ્વારા અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને યોગાભ્યાસ કર્યો હતો.






Latest News