મોરબીના એસએસવાય પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે અને જેલર-બંદીવાનોએ જેલમાં કર્યો યોગાભ્યાસ
SHARE








મોરબીના એસએસવાય પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે અને જેલર-બંદીવાનોએ જેલમાં કર્યો યોગાભ્યાસ
સમગ્ર વિશ્વમાં 21, જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી એસ.એસ.વાય પરિવાર દ્વારા સ્વમીનારાયણ મંદિર જીઆઈડીસી, મોરબી ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિન નિમિત્તે આયુષ મંત્રાલયના પ્રોટોકોલ મુજબના યોગાસનો તેમજ એસએસવાયના પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિનની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે યોગદિનની ઉજવણીમાં શાસ્ત્રી સ્વામી તેમજ નવનીતભાઈ કુંડારિયા, અંબારામભાઈ કવાડિયા, સંસ્કાર બ્લડ બેંકના રમેશભાઈ માકાસણા તેમજ ખુબજ મોટી સંખ્યામાં સાધકો અને હરિભક્તો જોડાયા હતા. આવી જ રીતે મોરબીની સબ જેલમાં ૧૧ મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલોના ડી.જી.પી. ડૉ. કે.એલ.એન.રાવ ના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે "ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી" દ્વારા અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને યોગાભ્યાસ કર્યો હતો.

