મોરબીમાં મણિમંદીરના પટાંગણમાં મનપાના કમિશ્નર સ્વપ્નિલ ખરે સહિતના લોકોએ કર્યો યોગાભ્યાસ
SHARE








મોરબીમાં મણિમંદીરના પટાંગણમાં મનપાના કમિશ્નર સ્વપ્નિલ ખરે સહિતના લોકોએ કર્યો યોગાભ્યાસ
‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિરના પ્રાંગણમાં શહેર કક્ષાનો કાર્યક્રમ મોરબી મનપાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ સાધકો આવ્યા હતા અને સાથે યોગાભ્યાસ કર્યો હતો. યોગ સંસ્કૃતિ એ આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. ત્યારે વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે તેના માટે યુનાઇટેડ નેશન્સની મહાસભાએ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે મોરબીમાં ઋષિ પરંપરાગત પ્રાચીન યોગ સંસ્કૃતિને મોરબીની ઓળખ અને વારસાગત ધરોહરની સાથે સાંકળી મણીમંદિર ખાતે મોરબી શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મનપાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે. ત્યારે આપણે એવા સ્થળ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જે સ્થળ આપણને ઐતિહાસિક વિરાસત સાથે જોડે છે અને ગૌરવવંતા બનાવે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ તકે ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની, ડીવાયએસપી વિરલ દલવાડીના લોકો હાજર રહ્યા હતા. અને યોગાભ્યાસ કર્યો હતો.

