મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જેપુર પાસે કાર અને રીક્ષા અથડાતા બાળક સહિત પાંચને ઈજા


SHARE











મોરબીના જેપુર પાસે કાર અને રીક્ષા અથડાતા બાળક સહિત પાંચને ઈજા

હરીપર અને ઉંચી માંડલ ગામે મારામારીના બનાવ

મોરબીના જેપુરથી ગોર ખીજડીયા ગામ જતા રસ્તે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એક બાળક સહિત પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે જેપુર ગામેથી ગોર ખીજડીયા ગામ બાજુ જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં રીક્ષાની સાથે કાર અથડાતા અજયકુમાર શિવપ્રભુરામ રાય (40) રહે. પીપળીયા ચોકડી, રૂપરામ રઘુરામ રાય (45) રહે. ખાખરાળા, વ્રજ નિપરામ (11) રહે. પીપળીયા ચોકડી, રાજકુમાર પ્રેમભાઈ સોની (38) રહે. સનાતન હોટલ પાસે નવલખી હાઈવે અને રાજકુમાર વાઘજીભાઈ માંજી (17) રહે. ખાખરાળાને ઈજાઓ થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી સ્ટાફના ફિરોઝભાઈ સુમરાએ આગળની તપાસ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા
 મોરબીની હરીપર ગામ નજીક આવેલ વેલોઝ સિરામીક પાસે મારામારીમાં ઈજા થતા પ્રકાશ રામુભાઈ મંદુરીયા (50)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે રહેતા જુબેદાબેગમ ઈરશનભાઈ મીર્જા (25)ને ત્યાં મારામારીમાં ઈજા થતા તેમજ ઉંચી માંડલની પાસે આવેલ નેકસન સિરામીકમાં ઉંચાઈએથી નીચે પડી જતા રેસુખાન (23)ને સારવાર માટે ખસેડાયા
હતા.

વૃધ્ધા સારવારમાં
 મોરબી કાલીકાનગર ખાતે રહેતા મંજુલાબેન ગોવિંદભાઈ ડાભી નામના 67 વર્ષના વૃધ્ધા હળવદની સરા ચોકડી પાસે બાઈકમાંથી પડી જતા અહીંની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.જયારે ટંકારાના હડમતીયા ગામે રહેતા ગોદાવરીબેન નાનજીભાઈ કુનપરા (67) નામના વૃધ્ધા ગામમાં આવેલ શંકર મંદિર પાસે બાઈક પાછળથી પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. માળીયા મીંયાણાના ચીખલી ગામે રહેતા રાજેશ મનસુખભાઈ ગણેશીયા (24) ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો.

બે યુવાન સારવારમાં
 મોરબીના હળવદ તાલુકાના પાંડાતિર્થ ગામે રહેતા હાર્દિક પરસોતમભાઈ ડાભી (24) અને રવિ વજુભાઈ ડાભી (26) ગામથી સુંદરગઢ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા બંનેને સારવારમાં અહીંની આયુષમાં લાવવામાં આવ્યા હતા. જયારે છાત્રાલય રોડ ધર્મવિજય રેસીડેન્સીમાં રહેતા હંસાબેન વેલજીભાઈ કાચરોલા (62) પૌત્ર પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ક્રિષ્ના પેલેસ નજીક પડી જતા ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.






Latest News