મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી


SHARE







મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી

મોરબીના સિનીયર સીટીઝન કાઉન્સીલ તરફથી આગામી તા.૫-૧૨ ને રવિવાર સવારે ૯-૩૦ કલાકે ધન્વન્તરિ ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે સામાન્ય જ્ઞાન કસોટી પેપર તથા ૧૦:૩૦ કલાકે મોરબીના જાણીતા સાયર કાયમ હઝારીના બ્રહ્મોપદેશ વિષે વ્યાખ્યાન માળા યોજાશે તયારબાદ ૧૨ કલાકે ભોજન યોજાશે.પરિક્ષામાં ભાગ લેવા ઇચ્છતા તથા કાર્યક્રમમાં આવવાના હોય તે સભ્યોએ મોબાઇલ નં.૯૯૧૩૨ ૨૨૨૮૩, ૯૪૨૬૯ ૪૨૪૦૮ અથવા ૯૭૨૭૪ ૦૩૯૯૨ ઉપર નામ નોંધાવવાના રહેશે તેમ સડસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઇ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.

અડદીયા વિતરણ

મોરબી સહકાર ભારતી તેમજ સિનિયર સિટીઝન કાઉન્સીલ દ્રારા શુધ્ધ ઘીના અડદીયા રાહતદરે વિતરીત કરવા આયોજન કરાયેલ હતુ.તા.૨૯ ના ગુ.હા.બોર્ડ હોલ ખાતેથી ૩૫૦ કિલોથી વધુ અડદીયાનું વિતરણ કરાયુ હતુ તે માટે ડો.બી.કે.હેરૂ, ત્રંબકભાઇ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News