મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા


SHARE











મોરબીની લીલાપર ચોકડી પાસે યુવાનને છરીના ઘા જીકીને જૂની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ ઘટના પહોંચી હતી અને આ બનાવને લઈને સતવારા સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રીત થયા હતા

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ગિરીશ નારણભાઈ કંઝારિયા નામના યુવાનની મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ થતા સતવારા સમાજના લોકો તથા વજેપર વિસ્તારના લોકો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રીત થયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત પ્રમાણે ગઇકાલે જ મૃતક ગિરીશ નારાયણ કંઝારીયા સહિત બે શખ્સોની સામે તેઓની પાડોશમાં રહેતા હિરલબેન દ્વારા ફરિયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતુ કે, ગરીશ સહિત બંન્ને શખ્સો તેઓના ઘર પાસે ગાળો બોલતા હતા અને ગાળો બોલવાની ના પાડતાં હિરલબેન તથા તેના સાસુ, સસરા અને પતિને ધમકી આપવામાં આવી હતી તથા તેઓની ઇકો ગાડીમાં નુકસાની પણ કરવામાં આવી હતી અને હાલમાં આ યુવાનની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી છે જેથી કરીને પોલીસે તે દિશામાં આગળની તપાસ શરૂ કરીને ફરીયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.






Latest News