મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને ઈકો ગાડીના હપ્તા ભરવાની ચિંતામાં મોરબી નજીક ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને ઈકો ગાડીના હપ્તા ભરવાની ચિંતામાં મોરબી નજીક ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને હપ્તે ઈકો ગાડી લીધી હતી અને તે ઇકો ગાડીના હપ્તા ચડી ગયા હતા અને હપ્તા ભરવાની ચિંતામાં તેણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાના તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના નવી રાતીદેવડી ગામે રહેતા રાહુલભાઈ અશોકભાઈ વિકાણી (18) નામના યુવાને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મોનલ કારખાના તરફ જવાના કાચા રસ્તાની બાજુમાં આવેલ બાવળની કાંટમાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા અશોકભાઈ પુનાભાઈ વિકાણી (46) રહે. નવી રાતીદેવડી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક યુવાને હપ્તેથી ઇકો ગાડી લીધી હતી અને તે ઈકો ગાડીનો અગાઉ વાંકાનેર શહેરી વિસ્તારમાં અકસ્માત થયો હતો અને તે બાબતે તેની સામે ગુનો પણ નોંધાયેલ હતો અને ગાડી ટોટલ લોસ થઈ ગયેલ હતી બીજી બાજુ ઈકો ગાડીના હપ્તા ચડી ગયા હતા અને હપ્તા ભરવાનું ટેન્શન હતું જેથી તેણે આર્થિક મૂંઝવણના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News