મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન


SHARE











મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન

નર્મદાની માળીયા કેનાલના આધારે ખેડૂતોએ પોતાન ખેતરમાં કપાસનું વાવેતર કરી નાખ્યું હતું  જો કે, નર્મદાની કેનાલમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી સિચાઈનું પાણી આવી રહ્યું નથી જેથી ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે માટે વહેલી તકે તેઓને સિંચાઈ માટેનું પાણી મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને સાથોસાથ કોઈપણ જગ્યાએ પાણીનો બગાડ થતો હોય કે પાણી બકનળી મૂકીને ખેંચવામાં આવતું હોય તો તે બકનળીઓ બંધ કરીને છેવડાના ગામ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાશે.

દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ માળીયા તાલુકાનાં વિશાલનગર, સુલ્તાનપુર, વાધરવા, ખીરઇ, પંચવટી, માણાબામ વિજયનગર, ચિખલી સહિતના ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી આવશે તેવી અપેક્ષા સાથે વાવતેર કર્યું હતું જો કે, છેલ્લા ચાર દિવસથી કેનાલમાં પાણી આવી રહ્યું નથી. જેથી ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે અને જો કપાસના પાક માટે બીજા પાણનું પાણી ન મળે તો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે આગોતરા પાકનું વાવેતર કર્યું છે પરંતુ તેઓને સીંચાઈનું પાણી ન મળતા હાલમાં ખેડૂતોની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગયેલ છે. ત્યારે માળિયા તાલુકાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે વહેલી તકે પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.






Latest News