મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ


SHARE











મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ

મોરબી નવલખી બંદર ઈન્ડોનેશિયા કોલસાનું હબ ગણાય છે.આ ઈન્ડોનેશિયા કોલસા નવલખી બંદરથી મોરબીમાં અનેક જગ્યાએ કોલસો સપ્લાય થાય છે.આ કોલસો સપ્લાય કરવામાં માટે નવલખી રોડ ઉપર ખુલ્લા ટ્રક ખુબ જ પ્રમાણમાં અવરજવર કરે છે.આ ખુલ્લા ટ્રકોમાંથી ખૂબ જ પ્રમાણમાં કોલસો રોડ ઉપર પડે છે.જેનાં લીધે તે રોડ ઉપર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાય છે.

આ રોડ ઉપરથી મોટરસાયકલ જેવા વહાનો ચલાવવા જીવના જોખમ સમાન છે.આ ખુલ્લા ટ્રક ઓવરલોડ અને ફુલ સ્પીડમાં ચલાવતા તે રોડ ઉપર પસાર થવું મુશ્કેલ પડે છે.આ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા કે જેઓ આ રોડ ઉપરના જ ખાખરાળા ગામના વતની છે તેમના દ્વારા તંત્ર અને આરટીઓ સહીત અનેક વિભાગમાં રજુઆતો કરી હતી.જેમાં આ ઓવર લોડ વાહનોને  આરટીઓ દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવે છે ? ક્યાંક આરટીઓ અધીકારી હપ્તા લેતા હશે ? શું ભાજપના હોદ્દેદારો કે નેતાઓના આ ટ્રક હશે ? જેથી જવાબદાર અધિકારીઓ પગલાં નહીં લેતા હોય. ? મોરબી જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો કેમ મુક પ્રેક્ષક બનીને બેઠા છે.? શું આ લોકોની પણ મીલીભગત હશે ? આવા અનેક આક્ષેપો આપના હોદેદારોએ કર્યા છે અને સાથે સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો બંધ નહીં થાય તો ત્યાંનાં ગામડાનાં લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જો કોઈ અનીચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી લગત તંત્રની રહેશે.






Latest News