મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ


SHARE















મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ

મોરબી નવલખી બંદર ઈન્ડોનેશિયા કોલસાનું હબ ગણાય છે.આ ઈન્ડોનેશિયા કોલસા નવલખી બંદરથી મોરબીમાં અનેક જગ્યાએ કોલસો સપ્લાય થાય છે.આ કોલસો સપ્લાય કરવામાં માટે નવલખી રોડ ઉપર ખુલ્લા ટ્રક ખુબ જ પ્રમાણમાં અવરજવર કરે છે.આ ખુલ્લા ટ્રકોમાંથી ખૂબ જ પ્રમાણમાં કોલસો રોડ ઉપર પડે છે.જેનાં લીધે તે રોડ ઉપર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાય છે.

આ રોડ ઉપરથી મોટરસાયકલ જેવા વહાનો ચલાવવા જીવના જોખમ સમાન છે.આ ખુલ્લા ટ્રક ઓવરલોડ અને ફુલ સ્પીડમાં ચલાવતા તે રોડ ઉપર પસાર થવું મુશ્કેલ પડે છે.આ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા કે જેઓ આ રોડ ઉપરના જ ખાખરાળા ગામના વતની છે તેમના દ્વારા તંત્ર અને આરટીઓ સહીત અનેક વિભાગમાં રજુઆતો કરી હતી.જેમાં આ ઓવર લોડ વાહનોને  આરટીઓ દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવે છે ? ક્યાંક આરટીઓ અધીકારી હપ્તા લેતા હશે ? શું ભાજપના હોદ્દેદારો કે નેતાઓના આ ટ્રક હશે ? જેથી જવાબદાર અધિકારીઓ પગલાં નહીં લેતા હોય. ? મોરબી જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો કેમ મુક પ્રેક્ષક બનીને બેઠા છે.? શું આ લોકોની પણ મીલીભગત હશે ? આવા અનેક આક્ષેપો આપના હોદેદારોએ કર્યા છે અને સાથે સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો બંધ નહીં થાય તો ત્યાંનાં ગામડાનાં લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જો કોઈ અનીચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી લગત તંત્રની રહેશે.






Latest News