મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું કરાયું સન્માન


SHARE











વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું કરાયું સન્માન

વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજનું ગૌરવ ઝાપડા રોહિતભાઈ પાંચાભાઈ આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત આવતા સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો દ્વારા તેના સ્વાગત માટે સામૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ મહેમાન તરીકે પાપનાશણા ઠાકર મંદિર તરણેતરના મહંત પૂજ્ય રોહિતપુરી બાપુ  અને તાલુકા પંચાયતના ચેરમેન જીજ્ઞાસાબેન મેરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ રાજુભાઈ મેર, માજી સરપંચ ભગવાનજીભાઈ મેર, ઉપસરપંચ નારણભાઈ ઝાપડા, ખેતાભાઈ ઝાપડા વગેર આગેવાનો સહિત સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો હાજર રહ્યા હતા. ત્યારે જીજ્ઞાસાબેન મેરે દ્વારા અગ્નિવીર યોજના વિશે ગામ લોકોને માહિત આપવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, તમામ અગ્નિવીરોને 48 લાખનું નોન-પ્રીમિયમ વીમા કવર મળે છે, ડ્યુટી દરમિયાન મૃત્યુના કિસ્સામાં 44 લાખ રૂપિયાની વધારાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે, અને તાલીમ દરમ્યાન પહેલા વર્ષમાં 21,000,  બીજા વર્ષે 23,000, ત્રીજા વર્ષે 25,000 અને ચોથા વર્ષે 27,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે.






Latest News