મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન


SHARE











મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન

મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે હળવદ, માળિયા-મિયાંણા, ટંકારા, વાંકાનેર અને મોરબી તાલુકામાં ખુલ્લે આમ ચાલતી ખનિજ ચોરી રોકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ડુંગરાળ વિસ્તારના ગૌચર, સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી, મોરમ કાઢી રહ્યા છે. જેથી સરકારી તિજોરીને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. વાંકાનેર જડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા, માટેલ, ભીમગુંડા, ચિત્રખડા, લુણસરિયા-થાન રોડ પરથી પણ ખનિજ માફિયાઓ બે રોકટોક રાત-દિવસ ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે. આ ખનિજ ચોરીના માલનું વહન કરવા માટે ખનિજ માફિયાઓ મસમોટા હપ્તાઓ આપતા હોવાની પણ ચર્ચા છે ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપડિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો અધિકારી દ્વારા ખનીજ ચોરીને રોકવામાં આવશે નહીં તો આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર ખનિજ ચોરી અટકાવવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News