મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ નવો બનાવવા માંગ


SHARE











મોરબીના વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ નવો બનાવવા માંગ

મોરબીના પત્રકાર યોગેશભાઈ રંગપડીયાએ મોરબી મહાનગર પાલીકાના કમિશ્નર સ્વપનીલ ખરેને લેખીત રજૂઆત કરી જણાવેલ છેકે, વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી ચોમાસાને ધ્યાનમાં રાખીને લોકોના હીતમાં આ રોડનું કામ વહેલી તકે કરાવવામાં આવે અને જયાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી આ રોડનું ખુબ ઝડપથી હાલ પુરતું રીપેરીંગ કરવામાં આવે તે જરૂરી છે.

કારણ કે લીલાપર કેનાલ રોડ ઉપર સવારે અને સાંજના સમયે ટ્રાફીક વધુ રહેતું હોવાથી આ વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડનો ઉપયોગ સીરામીક ફેકટરીએ જતા લોકો તેમજ પટેલનગર, આલાપપાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક સહીતની સોસાયટીઓના રહીશો કરતા હોય છે.તેથી જો આ રોડ બની જશે તો ત્યાં ટ્રાફીક રૂપાંતરીત થઈ શકે અને પરીણામે લીલાપર કેનાલ રોડ ઉપરનો ટ્રાફીક પ્રશ્ન પણ હળવો કરી શકાશે.જેથી આ રોડ તાત્કાલીક બને તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News