મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર પાસે વાડીએ સૂતેલા યુવાનને સાપ કરડી જતાં સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેરના રંગપર પાસે વાડીએ સૂતેલા યુવાનને સા કરડી જતાં સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના રંગપર ગામે આવેલ વાડીએ યુવાન સૂતો હતો દરમિયાન તેને કોઈ ઝેરી સા કરડી જતાં તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો માવજીભાઈ માનસિંગ કતીજા (23) નામનો યુવાન વાડીએ સૂતો હતો દરમિયાન ત્યાં તેને સા કરડી ગયો હોવાથી તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે, ચાલુ સારવાર દરમિયાન સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ સંસ્કાર રેસીડેન્સી ખાતે રહેતા રમેશભાઈ છગનભાઈ વડનારા (59) નામના વૃદ્ધ બાઈક ઉપર ગોલ્ડન માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

મોરબીમાં ગઢની રાંપાસે આવેલ ભવાની ચોકમાં રહેતા ઉર્મિલાબા દિલાવરસિંહ જાડેજા (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના જેલ ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News