મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે વીસનાલા નજીક બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના ઢુવા પાસે વીસનાલા નજીક બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં વીસનાલા નજીક આવેલ સુરાપુરાના મંદિર પાસે બાવળની કાટમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના વૃદ્ધે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ગામની સીમમાં વિસનાલા પાસે ઝાલા ઇન્દ્રજીતસિંહ અજીતસિંહની વાડીમાં આવેલ ભરવાડના સુરાપુરાના મંદિર પાસે બાવળની કાંટમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના વૃદ્ધે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની રૂપસિંગભાઈ પરથીભાઇ ચૌહાણ (42) રહે. જુના ઢુવા ગામ વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં ગાંધી ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરીફ મુસ્તાકભાઈ (44) રહે. મકરાણીવાસ સબજેલ પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના માટેલ નજીક અમરધામ રોડ ઉપર રોજવુડ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દિલીપભાઈ કાંતિલાલ મહેતા (37) રહે. અમરધામ પાસે માટેલ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 330 ની રોકડ કબ્જે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News