મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE















હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના કડીયાણા ગામેથી માતા પિતા લોકિકે ગયેલ હોય બે બાળકો તેના દાદા સાથે ખેતરે ગયા હતા અને ત્યાં ખેતરની બાજુમાં આવેલ વોકળામાં બંને બાળક ન્હાવા માટે ગયા હતા ત્યારે તે બંને બાળકના પાણીમાં ડૂબી ગયા હતા જેથી ઘટના સ્થળે જ તે બંનેના મોત નીપજયાં હતા ત્યાર બાદ પાણીમાંથી તેને મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદ તાલુકાનાં કડિયાણા ગામે રહેતા મુન્નાભાઈ રાતડીયાનો 13 વર્ષનો દીકરો આદિત્ય અને મુકેશભાઈ રતાડીયાનો 9 વર્ષનો દીકરો પ્રિન્સ ગામની નજીક ખેતરની બાજુમાં આવેલ વોકળામાં ન્હાવા માટે આજે સવારે ગયા હતા ત્યારે કોઈ કારણોસર તે બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હતા અને ગામના લોકોને બંને બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ તે બાળકોના બોડીને પીએમ માટે હળવદની સરકરી હોસ્પિટલે લઈને આવ્યા હતા.

વધુમાં હળવદ તાલુકાનાં પીઆઇ આર.ટી. વ્યાસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બંને બાળકોના માતા પિતા લોકિકે ગયા હતા જેથી તે બંને બાળક તેના દાદાની સાથે ખેતરે ગયા હતા અને દરમ્યાન બંને બાળકો વોકળામાં ન્હાવા જતા ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે બંને બાળકોના મોત થયેલ છે. હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને નાના એવા ગામમાં એક જ પરિવારના બે માસૂમ બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ હોવાથી રાતડીયા પરિવાર અને કડિયાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






Latest News