મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે અકળ કારણોસર ગળફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના રાજપર ગામે અકળ કારણોસર ગળફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના રાજપર ગામે આવેલ કોટન મીલના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા યુવાને તેના ક્વાટર ખાતે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજત્તા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજપર ગામે આવેલ સદગુરૂ કોટન મિલમાં આવેલ ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી લોકેશભાઇ વસ્તાભાઈ સોલંકી નામના ૨૮ વર્ષના યુવાને રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી સાથે કામ કરતા વ્યક્તિ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેને પગલે હાલ મૃતકના ડેડબોડીના પીએમ સહિતની વિધિ હાથ ધરવામાં આવી છે અને મૃતકના પરિવારજનો એમપી ખાતે રહેતા હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલી છે.કયા કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું તે હાલ તપાસનો વિષય છે.
સામસામે મારામારીમાં ઈજા
મોરબીના કંડલા બાયપાસ કામઘેનું પાર્ટી પ્લોટ પાસે આવેલ ૨૫ વારિયા વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં આકાશ મુન્નાભાઈ દેવીપુજક (ઉમર ૧૮) તથા સામે વાળા હનીફ ઉમરભાઈ ફકીર (ઉમર ૨૭) ને ઇજા થતા બંનેને સારવાર માટે લઈ જવાય હતા.જ્યારે લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ અન્સારી નામના ૭૦ વર્ષના વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે લવાયા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના મણીમંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સામસામે બાઇક અથડાતા રોનિત હિતેશભાઈ ઝીંઝવાડીયા (૧૮) રહે.વીસીપરા તથા સામેવાળા દિલીપભાઈ છોટાલાલ ભટ્ટ (૫૪) રહે.રામધન આશ્રમ પાસે વાળાઓને ઇજા થતા બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ચરાડવા ગામે રહેતા પરિવારનો માનવ દેવાભાઈ નામનો નવ વર્ષનો બાળક મચ્છુબારીથી ચરાડવા જતા રસ્તે બાઈક પાછળ બેસીને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યો હતો.
શનાળા રોડ અકસ્માત
મોરબીના શનાળા-રાજપર ચોકડી પાસે વાહન અકસ્માત બન્યો હતો. જેમાં ટ્રક સાથે બાઇક અથડાતા જમણા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મહેશભાઈ દેવશીભાઈ પટેલ (ઉમર ૫૫) રહે.રાજપરને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર ચોક પાસે રહેતા વજીબેન જીવરાજભાઈ ઝીંઝવાડીયા નામના ૪૬ વર્ષીય મહિલાને ઘરે મારામારીના બનાવમાં માથાના ભાગે ઈજા થતાં અત્રે શિવમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News