મોરબી જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !, વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતો
મોરબીમાં રસ્તે રઝળતા 75 પશુઓને મનપાની ટીમે ડબ્બે પૂર્યા
SHARE
મોરબીમાં રસ્તે રઝળતા 75 પશુઓને મનપાની ટીમે ડબ્બે પૂર્યા
મોરબીમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે આવા ઢોરને ડબ્બે પુરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં વધુ 75 ઢોર પકડી ગૌશાળાઓમાં મુક્યા છે. અને તેમાંથી બે ઢોર માલિકીના હતા જેથી તેના માલિકોની પાસેથી 8 હજારનો દંડ વસૂલ કરીને તેના ઢોરને મુક્ત કર્યા હતા. આ ઢોર મોરબીની અવની ચોકડી, બાપા સીતારામ ચોક, નગર દરવાજા, મંગળ ભુવન ચોક, શનાળા રોડ, રવિ પેલેસ, સોમનાથ પેલેસ તથા સામાકાંઠે જેવા વિવિધ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા આ ઉપરાંત મોરબી મનપા દ્વારા ઘાસ વેચાણ ક૨તાં 11 વેપારીને તથા 3 પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. તેવી માહિતી ડેપ્યુટી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ છે