હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને રાજકોટ જીલ્લાના ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો નહીં કેમ કે, સરકારે કરેલ પરિપત્રની નકલ બેન્ક કે મંડળીઓમાં મળેલ નથી જેથી ખેડૂતોને તેનો લાભ મળતો નથી માટે વહેલી તકે પરિપત્રની નકલ તમામ બેન્ક અને મંડળીમાં આપવામાં આવે તેના માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ખેડુતોને કે.સી.સી, ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. જેનો બજેટમાં પણ સમાવેશ કરવામાં આવેલ હતો. અને ખેડુતોને તેનો લાભ મળે તે માટે પરિપત્રો કરવામાં આવ્યા છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/ રાજકોટ જીલ્લાની સરકારી-અર્ધસરકારી બેંકો, મંડળીઓને મળેલ ન હોય જેના કારણે મોરબી જીલ્લાના ખેડુતોને આ યોજનાનો લાભ મળતો નથી.

સમગ્ર ભારતના ખેડુતોને પગભર બનાવવા સરકારની આર્થિક વિકાસને વેગવંતો કરવાની યોજનાઓનો કોઈ પણ પ્રકારનો લાભ મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને મળતો ન હોય, મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને ક્યાંકને ક્યાંક અન્યાય થતો હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. જેથી સરકાર દ્વારા ભારતમાં ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ મળી રહે તે માટે મોરબી/ રાજકોટ જીલ્લાની દરેક સરકારી-અર્ધસરકારી બેંક, મંડળીઓને સરકારના પરિપત્રો પુરા પાડવા તથા જે ખેડુતોએ પુરવણી ધીરાણ લીધેલ ન હોય તેવા ખેડુતોને પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજ લેખે ધીરાણ મળી શકે તેમ માટે ઘટીત કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.






Latest News