મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને રાજકોટ જીલ્લાના ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો નહીં કેમ કે, સરકારે કરેલ પરિપત્રની નકલ બેન્ક કે મંડળીઓમાં મળેલ નથી જેથી ખેડૂતોને તેનો લાભ મળતો નથી માટે વહેલી તકે પરિપત્રની નકલ તમામ બેન્ક અને મંડળીમાં આપવામાં આવે તેના માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ખેડુતોને કે.સી.સી, ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. જેનો બજેટમાં પણ સમાવેશ કરવામાં આવેલ હતો. અને ખેડુતોને તેનો લાભ મળે તે માટે પરિપત્રો કરવામાં આવ્યા છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/ રાજકોટ જીલ્લાની સરકારી-અર્ધસરકારી બેંકો, મંડળીઓને મળેલ ન હોય જેના કારણે મોરબી જીલ્લાના ખેડુતોને આ યોજનાનો લાભ મળતો નથી.

સમગ્ર ભારતના ખેડુતોને પગભર બનાવવા સરકારની આર્થિક વિકાસને વેગવંતો કરવાની યોજનાઓનો કોઈ પણ પ્રકારનો લાભ મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને મળતો ન હોય, મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને ક્યાંકને ક્યાંક અન્યાય થતો હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. જેથી સરકાર દ્વારા ભારતમાં ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ મળી રહે તે માટે મોરબી/ રાજકોટ જીલ્લાની દરેક સરકારી-અર્ધસરકારી બેંક, મંડળીઓને સરકારના પરિપત્રો પુરા પાડવા તથા જે ખેડુતોએ પુરવણી ધીરાણ લીધેલ ન હોય તેવા ખેડુતોને પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજ લેખે ધીરાણ મળી શકે તેમ માટે ઘટીત કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.






Latest News