સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને રાજકોટ જીલ્લાના ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો નહીં કેમ કે, સરકારે કરેલ પરિપત્રની નકલ બેન્ક કે મંડળીઓમાં મળેલ નથી જેથી ખેડૂતોને તેનો લાભ મળતો નથી માટે વહેલી તકે પરિપત્રની નકલ તમામ બેન્ક અને મંડળીમાં આપવામાં આવે તેના માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ખેડુતોને કે.સી.સી, ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. જેનો બજેટમાં પણ સમાવેશ કરવામાં આવેલ હતો. અને ખેડુતોને તેનો લાભ મળે તે માટે પરિપત્રો કરવામાં આવ્યા છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/ રાજકોટ જીલ્લાની સરકારી-અર્ધસરકારી બેંકો, મંડળીઓને મળેલ ન હોય જેના કારણે મોરબી જીલ્લાના ખેડુતોને આ યોજનાનો લાભ મળતો નથી.

સમગ્ર ભારતના ખેડુતોને પગભર બનાવવા સરકારની આર્થિક વિકાસને વેગવંતો કરવાની યોજનાઓનો કોઈ પણ પ્રકારનો લાભ મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને મળતો ન હોય, મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને ક્યાંકને ક્યાંક અન્યાય થતો હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. જેથી સરકાર દ્વારા ભારતમાં ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ મળી રહે તે માટે મોરબી/ રાજકોટ જીલ્લાની દરેક સરકારી-અર્ધસરકારી બેંક, મંડળીઓને સરકારના પરિપત્રો પુરા પાડવા તથા જે ખેડુતોએ પુરવણી ધીરાણ લીધેલ ન હોય તેવા ખેડુતોને પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજ લેખે ધીરાણ મળી શકે તેમ માટે ઘટીત કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.






Latest News