મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ઘરમાં મામલતદારની રેડ, 3071 કિલો ઘઉં-270 કિલો ચોખાનો સરકારી જથ્થો મળ્યો !: 4.36 લાખનો મુદામાલ કબજે


SHARE











મોરબીના ખાનપર ગામે ઘરમાં મામલતદારની રેડ, 3071 કિલો ઘઉં-270 કિલો ચોખાનો સરકારી જથ્થો મળ્યો !: 4.36 લાખનો મુદામાલ કબજે

મોરબીના ખાનપર ગામે બસ સ્ટેશન પાસે રહેતા શખ્સનાં ઘરે તાલુકા મામલતદાર સહિતની ટિમ પહોચી હતી ત્યારે તેના ઘરમાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવેલ છે જેથી અનાજ તેમજ વાહનો મળીને કુલ 4.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતનાં જુદાજુદા જીલ્લાઓમા સસ્તા અનાજની દુકાનથી જરૂરિયાત મંદ પરિવારને આપવા માટે જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તેમાંથી ઘણો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી તાલુકા મામલતદાર એમ.ટી. ધનવાણી અને તેની ટિમને બાતમી મળી કે ખાનપર ગામે સરકારી અનાજને સગેવગે કરી રહ્યા છે જેથી તાલુકા મામલતદાર સહિતની ટિમ પહોચી હતી અને ખાનપર ગામે બસ સ્ટેશન પાસે રહેતા ઇમ્તિયાઝ ગુલમામદ ગોધવિયાના ઘરે ચેક કર્યું હતું ત્યારે તેના ઘરમાંથી 3071.350 કિલોગ્રામ ઘઉં અને 270.480 કિલોગ્રામ ફોર્ટિફાઇડ ચોખા આમ કુલ મળીને 1,86,617 નો અનાજનો જથ્થો તેમજ 2 લાખની કિંમતની રિક્ષા અને 50 હજારની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 4,36,617 નો મુદામાલ જપ્ત કર્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ અનાજના જથ્થાના બિલ કે કોઈ આધાર પુરાવા તેની પાસે નથી જેથી અનાજના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News