મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ઘરમાં મામલતદારની રેડ, 3071 કિલો ઘઉં-270 કિલો ચોખાનો સરકારી જથ્થો મળ્યો !: 4.36 લાખનો મુદામાલ કબજે


SHARE













મોરબીના ખાનપર ગામે ઘરમાં મામલતદારની રેડ, 3071 કિલો ઘઉં-270 કિલો ચોખાનો સરકારી જથ્થો મળ્યો !: 4.36 લાખનો મુદામાલ કબજે

મોરબીના ખાનપર ગામે બસ સ્ટેશન પાસે રહેતા શખ્સનાં ઘરે તાલુકા મામલતદાર સહિતની ટિમ પહોચી હતી ત્યારે તેના ઘરમાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવેલ છે જેથી અનાજ તેમજ વાહનો મળીને કુલ 4.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતનાં જુદાજુદા જીલ્લાઓમા સસ્તા અનાજની દુકાનથી જરૂરિયાત મંદ પરિવારને આપવા માટે જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તેમાંથી ઘણો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી તાલુકા મામલતદાર એમ.ટી. ધનવાણી અને તેની ટિમને બાતમી મળી કે ખાનપર ગામે સરકારી અનાજને સગેવગે કરી રહ્યા છે જેથી તાલુકા મામલતદાર સહિતની ટિમ પહોચી હતી અને ખાનપર ગામે બસ સ્ટેશન પાસે રહેતા ઇમ્તિયાઝ ગુલમામદ ગોધવિયાના ઘરે ચેક કર્યું હતું ત્યારે તેના ઘરમાંથી 3071.350 કિલોગ્રામ ઘઉં અને 270.480 કિલોગ્રામ ફોર્ટિફાઇડ ચોખા આમ કુલ મળીને 1,86,617 નો અનાજનો જથ્થો તેમજ 2 લાખની કિંમતની રિક્ષા અને 50 હજારની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 4,36,617 નો મુદામાલ જપ્ત કર્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ અનાજના જથ્થાના બિલ કે કોઈ આધાર પુરાવા તેની પાસે નથી જેથી અનાજના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News