મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનનું મોત


SHARE











મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનનું મોત

મોરબી નજીક આવેલ મિનરલના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન પથારીમાં સૂતો હતો અને નિદ્રાધીન અવસ્થામાં જ બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયાની નજીક અમૂલ મિનરલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો કાલુરામ રમેશચંદ સરસીયા (39) નામનો યુવાન લેબર કવાર્ટરમાં પથારીમાં સૂતો હતો અને કોઈ કારણોસર બીમારી સંબંધ તેનું નિદ્રાધીન અવસ્થામાં જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં સિટી પોલીસ લાઈનની પાછળના ભાગમાં રહેતા કમલેશભાઈ પ્રેમચંદ વોરા (48) નામનો યુવાન બાઇક લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ગૌરીદડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય બાઇક સાથે બાઈક અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થહોવાથી અને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનિષાબેન રવિભાઈ શેટાણીયા (30) નામની મહિલા કોઈ કારણોસર ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News