ઓપરેશન શિલ્ડ: વાંકાનેર ખાતે તા ૨૯ મે ના રોજ મોકડ્રીલ-બ્લેક આઉટનું આયોજન
મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ
SHARE








મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ
મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલ છે અને તેમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, ચોમાસુ પાક માટે જે ખેડૂતો નર્મદાની કેનાલમાંથી સિંચાઈ સુવિધા મેળવવા ઇચ્છતા હોય તેઓએ જરૂરી ફોર્મ ભરવાના હોય છે જોકે હજુ સુધી કોઈ ફોર્મ ભરવામાં આવેલ નથી જેથી તાત્કાલિક ફોર્મ ભરવા માટે ધારાસભ્યએ અપીલ કરી છે.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોને અપીલ કરી છે કે, નર્મદાની માળિયા, મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી જે ખેડૂતો સિંચાઇ માટેનું પાણી મેળવવા ઇચ્છતા હોય તેઓએ પોતાના ફોર્મ ભરવાના હોય છે જો કે, હજુ સુધી કેનાલમાંથી પાણી લેવા માટે કોઈ પણ ગામમાં ખેડૂતોએ એક પણ ફોર્મ ભર્યું નથી જેથી ખાતેદાર ખેડૂતોએ નર્મદાનું પાણી મેળવવા માટે તાત્કાલિક નર્મદાનાં અધિકારી કે કર્મચારીને ગામમાં બોલાવીને એક જ દિવસમાં એકી સાથે વધુમાં વધુ ફોર્મ ભરવા માટેનું આયોજન કરવાની જરૂર છે. અને આ કામ માટે જુદાજુદા ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ખેડૂત તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ અપીલ કરેલ છે.

