મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ


SHARE















મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલ છે અને તેમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, ચોમાસુ પાક માટે જે ખેડૂતો નર્મદાની કેનાલમાંથી સિંચાઈ સુવિધા મેળવવા ઇચ્છતા હોય તેઓએ જરૂરી ફોર્મ ભરવાના હોય છે જોકે હજુ સુધી કોઈ ફોર્મ ભરવામાં આવેલ નથી જેથી તાત્કાલિક ફોર્મ ભરવા માટે ધારાસભ્યએ અપીલ કરી છે.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોને અપીલ કરી છે કે, નર્મદાની માળિયા, મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી જે ખેડૂતો સિંચાઇ માટેનું પાણી મેળવવા ઇચ્છતા હોય તેઓએ પોતાના ફોર્મ ભરવાના હોય છે જો કે, હજુ સુધી કેનાલમાંથી પાણી લેવા માટે કોઈ પણ ગામમાં ખેડૂતોએ એક પણ ફોર્મ ભર્યું નથી જેથી ખાતેદાર ખેડૂતોએ નર્મદાનું પાણી મેળવવા માટે તાત્કાલિક નર્મદાનાં અધિકારી કે કર્મચારીને ગામમાં બોલાવીને એક જ દિવસમાં એકી સાથે વધુમાં વધુ ફોર્મ ભરવા માટેનું આયોજન કરવાની જરૂર છે. અને આ કામ માટે જુદાજુદા ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ખેડૂત તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ અપીલ કરેલ છે.






Latest News