હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ


SHARE











મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલ છે અને તેમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, ચોમાસુ પાક માટે જે ખેડૂતો નર્મદાની કેનાલમાંથી સિંચાઈ સુવિધા મેળવવા ઇચ્છતા હોય તેઓએ જરૂરી ફોર્મ ભરવાના હોય છે જોકે હજુ સુધી કોઈ ફોર્મ ભરવામાં આવેલ નથી જેથી તાત્કાલિક ફોર્મ ભરવા માટે ધારાસભ્યએ અપીલ કરી છે.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોને અપીલ કરી છે કે, નર્મદાની માળિયા, મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી જે ખેડૂતો સિંચાઇ માટેનું પાણી મેળવવા ઇચ્છતા હોય તેઓએ પોતાના ફોર્મ ભરવાના હોય છે જો કે, હજુ સુધી કેનાલમાંથી પાણી લેવા માટે કોઈ પણ ગામમાં ખેડૂતોએ એક પણ ફોર્મ ભર્યું નથી જેથી ખાતેદાર ખેડૂતોએ નર્મદાનું પાણી મેળવવા માટે તાત્કાલિક નર્મદાનાં અધિકારી કે કર્મચારીને ગામમાં બોલાવીને એક જ દિવસમાં એકી સાથે વધુમાં વધુ ફોર્મ ભરવા માટેનું આયોજન કરવાની જરૂર છે. અને આ કામ માટે જુદાજુદા ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ખેડૂત તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ અપીલ કરેલ છે.




Latest News