મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ખારચિયા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતન બનાવમાં કાર ચાલક સામે એસટીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ


SHARE











મોરબીના ખારચિયા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતન બનાવમાં કાર ચાલક સામે એસટીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ

મોરબીના ખારચિયા ગામ નજીક ગઈકાલે સવારે રોડ સાઈડમાં ઊભેલ એસટી બસની પાછળ અર્ટીકા કાર અથડાઈ હતી. જેથી કરીને કારમાં બેઠેલા લોકોમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યાં છે અને ત્રણ લોકોને ઇજા થવાથી તેને મોરબી અને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. જો કે, કારમાં બેઠેલા 13 વર્ષના બાળકને કોઈ ઇજા થઈ ન હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવમાં બસના ચાલકે કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.

કચ્છના ગાંધીધામ ખાતે આવેલા બાલાજી મંદિર ખાતે શરણાઈ સહિતના વાજિંત્રો વગાડવાનું કામ કરતા પાંચેક લોકો તથા એક બાળક સાથે અર્ટીકા કારમાં ગાંધીધામથી દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. તેવામાં ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તેઓની કાર મોરબી તાલુકાનાં ખારચીયા ગામ પાસે રોડ સાઈડમાં ઊભેલ એસટીની બસની પાછળના ભાગે અથડાઇ હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના વિડીયો પણ વાઇરલ થયેલ હતો. આ બનાવમાં કારમાં બેઠેલા લોકોમાંથી રામાનુજા જગન્નાથ પંચાંગમ ચારૂલ (53) રહે. મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે. બાલાજી મંદિર ગાંધીધામનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કાસૈયા રામુલુ રોમ્પલી (67) રહે. મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે.બાલીજી મંદિર ગાંધીધામ (કચ્છ) ને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા ત્યાં ટૂંકી સારવારમાં તેનું મોત નિપજ્યું હતું. 

જો કેકારના ડ્રાઇવર કૃણાલ પ્રકાશભાઈ અશ્વિની (24) રહે.ગોપાલનગર આદિપુર (કચ્છ) તેમજ અજનાર લચ્છુત (46) અને ધાલૈયા ક્રિષ્નામૂર્તિ નવીરી (44) રહે. બંને મૂળ વિશાખાપટ્ટનમ હાલ ગાંધીધામ બાલાજી મંદિર વાળાને ઇજા થતાં તેઓને મોરબી અને રાજકોટ  સારવાર માટે લઈ ગયા હતા. અને આ કારમાં બેઠેલા 13 વર્ષના એક બાળકને કોઈ ઇજા થયેલ ન હતી. અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતાં બીટ વિસ્તારના જમાદાર એમ.પી.ઝાલાએ પ્રાથમિક તપાસ કરી હતી અકસ્માતના આ બનાવ સંદર્ભે જામનગરના રામેશ્વર નવાગામ ખાતે રહેતા એસટી બસના ડ્રાઇવર દિલીપકુમાર દેવશંકર જોશી (44) એ કાર નં જીજે 39 પી 7361 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે.






Latest News