મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિરની દિવાલના ટેકે બેઠેલા ચાર શખ્સોને ઠપકો આપતા યુવાનને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE











વાંકાનેરમાં મંદિરની દિવાલના ટેકે બેઠેલા ચાર શખ્સોને ઠપકો આપતા યુવાનને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરના દિવાલના ટેકે ચાર શખ્સો બેઠા હતા જેને યુવાને ઠપકો આપ્યો હતો જે મંદિર પાસે બેઠેલા શખ્સોને સારું નહીં લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા અને ઢીકાપાટુ વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધી હતી અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં સ્મશાન વાળી શેરીમાં રહેતા મનીષભાઈ જગદીશભાઈ ભાટી (24)એ સીટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ પસાભાઈ સેટાણીયા, ભૂરો સેટાણીયા, વિજયભાઈ ઘોઘાભાઈ સેટાણીયા, અને વિક્રમભાઈ વિજયભાઈ સેટાણીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વીસીપરામાં સ્મશાન રોડ ઉપર આવેલ માતાજીના મંદિરના દિવાલના ટેકે આરોપીઓ બેઠા હતા જેથી ફરિયાદી યુવાને તેઓને ઠપકો આપ્યો હતો જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે યુવાનને માથામાં હાથે પગે અને વાસાના ભાગે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાનો ભંગ
ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ રોડ ઉપર આવેલ પવનસુત પ્લાસ્ટો પેક એલએલપી નામના કારખાનામાં ત્યાંના માલિકે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી રાખવા માટે કલેકટર નું જાહેરનામું હોવા છતાં પણ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ રાખેલ ન હતું જેથી પંકજભાઈ ભગવતીપ્રસાદ જોશી (47) રહે જેલ રોડ ઇન્ડિયન બેંક ની સામે મોરબી વાળા સામે જાહેરનામા ભંગનો ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News