મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિરની દિવાલના ટેકે બેઠેલા ચાર શખ્સોને ઠપકો આપતા યુવાનને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE











વાંકાનેરમાં મંદિરની દિવાલના ટેકે બેઠેલા ચાર શખ્સોને ઠપકો આપતા યુવાનને ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરના દિવાલના ટેકે ચાર શખ્સો બેઠા હતા જેને યુવાને ઠપકો આપ્યો હતો જે મંદિર પાસે બેઠેલા શખ્સોને સારું નહીં લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા અને ઢીકાપાટુ વડે માથામાં તથા શરીરે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધી હતી અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં સ્મશાન વાળી શેરીમાં રહેતા મનીષભાઈ જગદીશભાઈ ભાટી (24)એ સીટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ પસાભાઈ સેટાણીયા, ભૂરો સેટાણીયા, વિજયભાઈ ઘોઘાભાઈ સેટાણીયા, અને વિક્રમભાઈ વિજયભાઈ સેટાણીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વીસીપરામાં સ્મશાન રોડ ઉપર આવેલ માતાજીના મંદિરના દિવાલના ટેકે આરોપીઓ બેઠા હતા જેથી ફરિયાદી યુવાને તેઓને ઠપકો આપ્યો હતો જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે યુવાનને માથામાં હાથે પગે અને વાસાના ભાગે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાનો ભંગ
ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ રોડ ઉપર આવેલ પવનસુત પ્લાસ્ટો પેક એલએલપી નામના કારખાનામાં ત્યાંના માલિકે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી રાખવા માટે કલેકટર નું જાહેરનામું હોવા છતાં પણ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ રાખેલ ન હતું જેથી પંકજભાઈ ભગવતીપ્રસાદ જોશી (47) રહે જેલ રોડ ઇન્ડિયન બેંક ની સામે મોરબી વાળા સામે જાહેરનામા ભંગનો ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News