મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં 21 વર્ષ પહેલા લાંચ લેવાના કેસમાં સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખ્યો


SHARE













મોરબીમાં 21 વર્ષ પહેલા લાંચ લેવાના કેસમાં સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખ્યો

મોરબીમાં વર્ષ 2004 માં આરટીઓ અધિકારી એજન્ટ મારફતે ખાનગી બસના સંચાલકો પાસેથી લાંચ માંગી હતી અને તે લાંચની રકમ લેતાની સાથે જ એસીબીએ ગોઠવેલ છટકામાં ઝડપાઇ ગયા હતા અને તે લાંચનો કેસ મોરબીની સેસન્સ કોર્ટનાં ચાલી ગયો હતો જેમાં બંને આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. જેને હાઈકોર્ટ સમક્ષ સરકાર દ્વારા પડકારવામાં આવ્યો હતો જો કે, હાઈકોર્ટે સેસન્સ કોર્ટનાં હુકમને યોગ્ય અને કાયદેસરનો ઠરાવતો હુકમ ગ્રાહ્ય રાખ્યો છે.

આ કેસની વિગત એવી હતી કે, તા 11/4/2004 ના રોજ મોરબીમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં ફરિયાદીની બસ ત્થા અન્ય લોકોની બીજી પાંચ મીની બસો પર ખોટી રીતે કેસો નહીં કરી, હેરાનગતિ ન કરવા માટે પ્રતિ બસ પેટે માસિક રૂપિયા 300 લેખે કુલ છ બસના 3000 રૂપિયાની લાંચ જે તે સમયના આર.ટી.ઓ. ઑફિસર દ્વારા આર.ટી.ઓ. એજન્ટ મારફતે માંગવામાં આવી હતી. અને લાંચની રકમ સ્વીકારતાંની સાથે જ એ.સી.બી.ના છટકામાં ઝડપાઈ ગયા હતાં. જે અંગેનો કેસ મોરબી સેસન્સ કોર્ટમાં ચાલી જતાં સ્પેશિયલ કોર્ટે બંન્ને આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો જે હુકમને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સરકાર દ્વારા પડકારવામાં આવ્યો હતો અને તેણી આખરી સુનાવણી હાઈકોર્ટની વેકેશન બેંચ સમક્ષ નીકળતાં હાઈકોર્ટે કેસ-પુરાવાઓનું પુનઃમુલ્યાંકન કરી સરકારની અપિલને નામંજુર કરી આરોપીઓને નિર્દોષ ઠરાવવાના સેસન્સ કોર્ટનાં હુકમને યોગ્ય અને કાયદેસરનો ઠરાવતો હુકમ ગ્રાહ્ય રાખ્યો છે. ઉલેખનીય છેકે, હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધેલ છે કે આરોપી આરટીઓ અધિકારી ટ્રાયલ દરમિયાન ગુજરી ગયેલ હતા જેથી આરોપી આરટીઓ એજન્ટએ લીધેલ લાંચના રકમનો બચાવ કાયદાની દ્રષ્ટિએ કાયદેસરનો હતો. ઉપરાંત ફરિયાદ પક્ષનાં સાહેદોની કોર્ટ રૂબરૂની જુબાનીઓમાં મહત્વનાં મુદ્દા ઉપર વિસંગતાઓ જણાય આવે છે. જે ફરિયાદપક્ષનાં કેસને ગંભીર હાની-ક્ષતિ પહોંચાડે છે. આ કેસમાં આરોપી વતી હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીતેન એમ. બુધ્ધભટ્ટી રોકાયેલ હતા.






Latest News