મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન
SHARE








મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન
મોરબીના હરીપર ગામના ભાણજીભાઈ અગોલા મૂળ એલ.ઈ. કૉલેજના વિદ્યાર્થી અને ત્યાં જ અધ્યાપક થયા પછી હેડ ઓફ મીકેનીકલ ડીપાર્ટમેન્ટ પદેથી નિવૃત્ત થયા છે અને તેઓએ ગ્રામ્ય વિસ્તારના યુવાનોને જ્ઞાનરૂપી પુસ્તકદાન આપવાનું પ્રેરણાદાયી અભિયાન શરુ કર્યું છે.
ગુજરાતનાં ૧૮૨૫૦ ગામડાની સરકારી સ્કૂલમાં ધો. ૬થી ૮ નાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું 'યુવાનોને...' પુસ્તક વિના મૂલ્યે આપવાનું વિચાર્યું હતું અને ખાસ કરીને વિવિધ પ્રકારના દાનમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે. જ્ઞાનદાન જીવનમાં જીવંત રહેતુ હોવાથી તેની અસર વરસો સુધી રહે છે. જેથી કરીને તેઓએ નિવૃત થયા પછી આજ સુધીમાં અઢી લાખ કિલો મીટર વાહન ચલાવીને છેલ્લા વર્ષોમાં એક કે બે શાળા કે ગામ નહીં પરંતુ ગુજરાતના ૨૫૦ તાલુકામાં ૮ લાખ વિદ્યાર્થીઓને આ પુસ્તક વિના મુલ્યે આપ્યું છે. અને આ પુસ્તકથી છેલ્લા વર્ષોમાં ઘણા બાળકોમાં પરીવર્તન આવ્યું હોય તેવું જોવા મળ્યું છે જેથી કરીને તેઓને હવેથી દર વર્ષે ૧ લાખ નકલનું વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે અને હાલમાં આ પુસ્તકની નકલો પ્રેસમાં છપાઈ છે.

