મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ મોરબી મનપા ફાયર વિભાગે હોસ્પિટલ, સ્કૂલ અને હોટલમાં આપી ફાયરની તાલીમ મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન


SHARE















મોરબીમાં રહેતા નિવૃત્ત પ્રેફેસર દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકદાનનું અનોખુ અભિયાન

મોરબીના હરીપર ગામના ભાણજીભાઈ અગોલા મૂળ એલ.ઈ. કૉલેજના વિદ્યાર્થી અને ત્યાં જ અધ્યાપક થયા પછી હેડ ઓફ મીકેનીકલ ડીપાર્ટમેન્ટ પદેથી નિવૃત્ત થયા છે અને તેઓએ ગ્રામ્ય વિસ્તારના યુવાનોને જ્ઞાનરૂપી પુસ્તકદાન આપવાનું પ્રેરણાદાયી અભિયાન શરુ કર્યું છે.

ગુજરાતનાં ૧૮૨૫૦ ગામડાની સરકારી સ્કૂલમાં ધો. ૬થી ૮ નાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનું  'યુવાનોને...' પુસ્તક વિના મૂલ્યે આપવાનું વિચાર્યું હતું અને ખાસ કરીને વિવિધ પ્રકારના દાનમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે. જ્ઞાનદાન જીવનમાં જીવંત રહેતુ હોવાથી તેની અસર વરસો સુધી રહે છે. જેથી કરીને તેઓએ નિવૃત થયા પછી આજ સુધીમાં અઢી લાખ કિલો મીટર વાહન ચલાવીને છેલ્લા વર્ષોમાં એક કે બે શાળા કે ગામ નહીં પરંતુ ગુજરાતના ૨૫૦ તાલુકામાં ૮ લાખ વિદ્યાર્થીઓને આ પુસ્તક વિના મુલ્યે આપ્યું છે. અને આ પુસ્તકથી છેલ્લા વર્ષોમાં ઘણા બાળકોમાં પરીવર્તન આવ્યું હોય તેવું જોવા મળ્યું છે જેથી કરીને તેઓને હવેથી દર વર્ષે ૧ લાખ નકલનું વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે અને હાલમાં આ પુસ્તકની નકલો પ્રેસમાં છપાઈ છે.






Latest News