મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉશ્કેરાટમાં આવીને યુવાને પોતાના જ પગ ઉપર છરીનો ઘા ઝીકયો: રાજકોટ સારવારમાં


SHARE













મોરબીમાં ઉશ્કેરાટમાં આવીને યુવાને પોતાના જ પગ ઉપર છરીનો ઘા ઝીકયો: રાજકોટ સારવારમાં

મોરબીમાં દરબારગઢ પાસે રહેતા યુવાનને તેના પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તે યુવાને પોતે પોતાની જાતે છરી વડે પગ ઉપર ગંભીર ઇજા કરી લીધી હતી જેથી કરીને સારવાર માટે તેને પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં દરબારગઢ પાસે રહેતા રઘુવીરસિંહ હરિસિંહ રાઠોડ (32) નામના યુવાને પોતે પોતાની જાતે પગ ઉપર છરી વડે ગંભીર ઇજા કરી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દરમિયાન ઇજાગ્રસ્ત રઘુવીરસિંહના ભાઈ કુલદીપસિંહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રઘુવીરસિંહને તેઓના પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ તેઓએ ઉશ્કેરાટમાં આવીને પોતે પોતાની જાતે પોતાના પગ ઉપર છરી વડે ઇજા કરી લીધી જેથી તેમને સારવાર માટે રાજકોટ લઈને આવ્યા છે

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા અબ્દુલશા મીશા (50) નામના આધેડને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.






Latest News