મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન


SHARE













મોરબી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ઉદ્યોગકારોના સહકારથી રાહતદારે ચોપડા-સ્ટેશનરી વિતરણનું આયોજન

મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મોરબીના વિદ્યાર્થીઓ માટે બે ઉદ્યોગકારોના સહયોગથી રાહતદારે ચોપડા અને સ્ટેશનરીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્લાસમેટ કંપનીના ફુલસ્કેપ ચોપડા, સ્કૂલબેગ, કંપાસ બોક્સ વગેરે 40 થી વધુ રાહત દરે આપવામાં આવશે. જેથી તેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા માટે આયોજકે અનુરોધ કર્યો છે.

વર્ષ 2025-26 નું નવું શૈક્ષણિક શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર, મોરબી શ્રીમદ રાજચંદ્ર પરિવાર ધરમપુર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સીરામીકના સહયોગથી મોરબીના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડેડ ક્લાસમેટ કંપનીના ફુલ સ્ટેપ બુક તથા અન્ય સ્ટેશનેરી 40 ટકાથી વધુ રાહત દરે વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એક અઠવાડિયા સુધી એટ્લે કે તા. 25 મે થી તા. 1 જુન સુધી “આશીર્વાદ” શક્તિ પ્લોટ શેરી નંબર-9 , રવાપર રોડ, મોરબી ખાતે સવારે 7:00 થી 12:00 સાંજે 4:00 થી 7:00 સુધી વિતરણ ચાલુ રહેવાનુ છે જેથી મોરબીની દરેક સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓમોટી સંખ્યામાં પ્રોજેક્ટનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ પ્રોજેક્ટમાં કોઈપણ સ્કૂલ પોતાના વિદ્યાથીઓ માટે કોઈ એક ફિક્સ સમય અને તારીખ નક્કી કરવા ઇચ્છતી હોય તો ડો. રવિન્દ્ર ભટ્ટ (98982 88777), સુનિલભાઈ કચોરીયા (9408101954) કે મિહિરભાઇ મહેશ્વરી (9426221848)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News